Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના મણીનાગેશ્વર મહાદેવનો શિવરાત્રીનો મેળો ચાલુ વર્ષે બંધ રહેશે.

Share

છેલ્લા કેટલાક દસકાઓથી ભરાતો મેળો કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલ કૃષ્ણપુરી ગામ ખાતેના સુપ્રસિદ્ધ મણીનાગેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે.
આ સ્થળની ગણના ભરૂચ જિલ્લાના પ્રાચિન ધર્મસ્થાનોમાં થાય છે. છેલ્લા કેટલાક દસકાઓથી મણીનાગેશ્વર ખાતે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે.પરંપરાગત ભરાતા અા ભવ્ય મેળામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિક જનતા આવે છે.ઉપરાંત ઝઘડિયા તાલુકા સહિતના વિવિધ વિસ્તારોની શ્રદ્ધાળુ જનતા શિવરાત્રીના દિવસે અહિં આવીને સ્નાન કરીને પાવન થાય છે.આ સ્થળે સ્નાન કરવાનો પવિત્ર મહિમા છે.હાલમાં કોરોના મહામારી અંતર્ગત કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ફરીથી વધી રહ્યું છે,ત્યારે સરકાર દ્વારા જાહેર સ્થળોએ લોકો એકત્રિત થાય નહિં તેવું જાહેરનામું યથાવત રાખવામાં આવ્યુ હોઇ, કોરોનાની ગાઈડલાઈન મુજબ ચાલુ વર્ષે શિવરાત્રીનો મણીનાગેશ્વર ખાતે ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે.મણીનાગેશ્વર મંદિરના સંચાલકો દ્વારા આ અંગે ભાવિક ભક્તોને નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના યુવાનનું અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત.

ProudOfGujarat

ચાવજ રોડ પરથી દેશી દારૂ ભરેલી ટવેરા ઝડપાઈ ત્રણ આરોપીની કુલ રૂ!. ૫,૦,૯૦૦૦ નાં મુદ્દામાલ સાથે અટકાયત : એક વોન્ટેડ

ProudOfGujarat

વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની સંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને સંતોષકારક વળતર આપવાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!