Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના વણાકપોરથી જરસાડ માર્ગ પર દીપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે. તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર રાત્રીના સમયે દિપડો જાહેરમાં ફરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોસિયલ મિડીયા પર મુક્તપણે લટાર મારતા દિપડાનો વિડીઓ વાયરલ થયો હતો. આને લઇને આ વિસ્તારના ગામોએ ભયનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારની સીમમાં તેમજ ઘણીવાર માનવવસ્તી નજીક જાહેરમાં દિપડા દેખાતા હોવાની ઘટનાઓ બનવા પામે છે. ઉપરાંત ડુંગર વિસ્તારમાં પણ અવારનવાર દીપડાઓ જાહેરમાં ફરતા નજરે પડતા હોય છે. ભુતકાળમાં દિપડાઓ દ્વારા ઘણા પાલતુ પશુઓનું મારણ કરાયુ હોવાના બનાવો પણ બન્યા હતા. આને લઇને ખેડૂતો અને ખેત મજુરોમાં ચિંતા ફેલાવા પામી છે. ઝઘડીયા તાલુકામાં શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાનો મનાય છે. શેરડી કાપણી દરમિયાન દિપડાઓ શેરડીના ખેતરોમાંથી બહાર નીકળે છે અને ખોરાકની શોધમાં સીમ ઉપરાંત માનવ વસ્તીમાં પણ આવી ચઢે છે. એક અંદાજ મુજબ તાલુકામાં પરિવાર સાથે રહેતા દિપડાઓની કુલ સંખ્યા ૧૮ થી ૨૦ જેટલી હોવાનું મનાય છે. જોકે હાલમાં જાહેર માર્ગ પર દિપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ થતાં આ પંથકની જનતામાં ભયનો માહોલ છવાયો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં મળે ત્યાં શુભેચ્છાઓ આપો, રાજસ્થાન ડુંગરપુર પંચાયતની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં ગઠબંધનને લઈ BTP નાં છોટુ વસાવાનાં આકરા પ્રહાર- જાણો વધુ.

ProudOfGujarat

ભાર્ગવ કપ ૨૦૧૮ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન

ProudOfGujarat

ભરૂચ અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!