Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે ઉપસરપંચ તરીકે રંજનબેન વસાવા નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમધરા ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં સરપંચ પદે રાજેન્દ્રભાઈ રાયસીંગભાઈ વસાવા વિજયી થયાં હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે આજરોજ તલાટી પરેશભાઈ પરમાર તેમજ ગ્રામસેવક સુનિલભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી. ઉમધરા ગ્રામ પંચાયતની આ પ્રથમ બેઠકમાં ઉપ સરપંચ તરીકે રંજનબેન દત્તુભાઈ વસાવા બિનહરીફ થતાં તેમને ઉપ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ, ઉપ સરપંચ તેમજ ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્યોએ ગ્રામજનોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓ ગામના વિકાસ માટે હંમેશ કટિબધ્ધ રહેશે તેવી લાગણી ઉચ્ચારી હતી. નવ નિયુક્ત સરપંચ તેમજ ઉપ સરપંચને અત્રે ઉપસ્થિત ગ્રામજનોએ વધાવી લીધા હતા. ગામના આ નવા હોદ્દેદારોએ પણ ગામના વિકાસને ધબકતો રાખવા સહુનો સાથ મળતો રહેશે એવી આશા વ્યક્ત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે 21 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 945 થઈ.

ProudOfGujarat

નડિયાદ ખાતે પોસ્ટ ઓફિસના સ્ટાફ દ્વારા તિરંગા રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!