Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં કુલ ૪૭ પોઝિટિવ કેસ આવ્યા.

Share

કોરોનાની ત્રીજી લહેરની શરુઆતે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દરરોજ કોરોનાના સંખ્યાબંધ કેસો બહાર આવતા દેશની જનતામાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે કોરોનાની અસર ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓની જેમ ઝઘડીયા તાલુકામાં પણ કોરોનાના કેસ ધીમેધીમે મોટી સંખ્યામાં બહાર આવવા લાગ્યા છે.

આજરોજ તા.૧૮ મીના રોજ ઝઘડીયા તાલુકામાં કોરોનાના ૪૭ જેટલા પોઝિટિવ કેસ બહાર આવતા આ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ જણાતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ૪૭ પૈકી ૧૫ કેસ તો એકલા ઝઘડીયા નગરના છે. આને લઇને ઝઘડીયા તાલુકામાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાતા તાલુકાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ આ તમામ કોરોના દર્દીઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકા મથક હોવાથી રોજ મોટી સંખ્યામાં જનતા વિવિધ કચેરીઓના કામો માટે આવતી હોય છે, તેને લઇને સ્થાનિક સ્તરે સંક્રમણ વધવાની સંભાવના હોઇ સઘન તકેદારીની જરુર વર્તાય છે. ઝઘડીયા ખાતેની સેવા રુરલ હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય કેન્દ્રોમાં કરાયેલ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ કેસની યાદીમાંથી આ વિગતો જાણવા મળી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં એ.ટી.એમ મશીન કાર્યરત : ઓનલાઇન પેમેન્ટ કરવાની સાથે એટીએમ મશીનમાંથી ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ ગ્રાહકોને મળી રહેશે

ProudOfGujarat

નિનાઇ ધોધ ખાતે ડૂબી ગયેલાં બે યુવાનોની શોધ ખોળ હજુ ચાલુ…

ProudOfGujarat

રામપુરા ધનેશ્વર આશ્રમના મહંતને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નર્મદા ઉતારવાહીનીમાં જળ સમાધિ અપાઈ,રામાનંદી સંપ્રદાય મુજબ આપી જળ સમાધિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!