Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગતરોજ દુધ ઉત્પાદક મંડળી ખાતે પશુપાલન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ દુધધારા અને સહજાનંદ દુધ ઉત્પાદક મંડળી સારસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દુધ ઉત્પાદક મંડળીના યોગેશ પટેલે ઉપસ્થિતોને આવકાર્યા હતા. ભરૂચ દુધધારાના પશુ તજજ્ઞો કૌશિક પ્રજાપતિ અને ડો.સંજીવકુમાર દ્વારા અત્રે ઉપસ્થિત પશુપાલકોને પશુપાલનને લગતી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પશુઓ માટે સમતોલ આહારની જરુર, બિજદાન ક્યારે કરવુ, પશુઓને અપાતા વિવિધ ખોરાકોના ફાયદા અને નુકશાન, ઘાસના પ્રકાર અને ફાયદા, પશુઓના બચ્ચાને આપવાના ખોરાક, પશુઓને આપવાની દવાઓનો યોગ્ય સમયે અને જરુરી માત્રામાં ઉપયોગ, બચ્ચા ઉછેરની આધુનિક પ્રધ્ધતિ, પશુઓમાં આવતા રોગ અને તેનું નિવારણ વિ.જેવી જરુરી જાણકારીથી ઉપસ્થિત પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે, પશુપાલન અને ખેતી એક જ સિક્કાની બે બાજુઓ ગણાય છે ત્યારે ગ્રામ્ય સ્તરે પશુપાલન પરિવારો માટે આજીવિકાનું સાધન ગણાય છે. તેથી પશુપાલનના વ્યવસાય દ્વારા પશુપાલકો તેને લગતી આધુનિક પ્રધ્ધતિઓની જાણકારી મેળવીને દુધ ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિ કરી શકે તે માટે ગ્રામ્ય સ્તરે સમયાંતરે આવા સેમિનારો યોજાય તે આવકાર્ય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીનો બીજો ક્રમ આવતા ગૌરવ.

ProudOfGujarat

ભરૂચની સબજેલમાં આજે સવારે સારવાર અર્થે લાવેલા કેદીનું મોત થયું હોવાની સત્તાવાર માહિતી મળી છે.

ProudOfGujarat

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!