Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો.

Share

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની ગત તા. ૭ મીના રોજ મળેલ કારોબારી સભામાં થયેલા નિર્ણય મુજબ તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે વારંવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી. કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવી આગામી સમયમાં વિરોધ કરવાના તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તેના અનુસંધાને આજે તા. ૧ લીના રોજથી ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના તલાટીઓ સવારે ૧૦ થી ૬.૩૦ સુધી માસ સીએલ પર ઉતર્યા છે. ઝઘડીયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી સામે આજરોજ માસ સીએલ પર ઉતરી તેમની માંગણીઓને લઇ બેનર સાથે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. ઝઘડિયા તાલુકાના તમામ તલાટીઓ આજે ધરણાં તેમજ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે કરગટ ગામની સીમમાં ફાર્મહાઉસમાંથી ચોરાયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!