Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે નજીવી બાબતે એક ઈસમને માર મારી ધમકી આપવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામે રહેતા કમલેશભાઇ દશરથભાઈ વસાવા ગત તા. ૨૦ મીના રોજ જમી પરવારી ઘરની બહાર નીકળતા હતા તે વખતે તેમના ફળીયામાં રહેતો છના જેઠાભાઈ વસાવા તેમના ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે તને વધારે મસ્તી છે, તું પેલા આપણા ગામના દિલીપ રવિયા સાથે કેમ ફરે છે? તેમ કહી કમલેશને ગમેતેમ માં બેન સમાણી ગાળો બોલવા લાગ્યો હતો. કમલેશે ગાળો બોલવાની ના પાડતા છનાએ ઉશ્કેરાઇ જઇને કમલેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. તે વખતે છનાનુ ઉપરાણું લઇને તેનો પુત્ર રાકેશ તથા દેવરાજ તેમજ છનાની પત્ની સરોજ પણ આવીને કમલેશને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. કમલેશની પત્નીએ વચ્ચે પડીને વધુ મારમાંથી બચાવ્યો હતો. છના વસાવાએ ત્યારબાદ આ વખતે તું બચી ગયો બીજી વાર મળશે તો તારા ટાંટિયા ભાગી નાખીશ એમ કહીને ધમકી આપી હતી. વધુ માર માંથી બચવા કમલેશ તેના નાના ભાઈ શૈલેષના ઘરે જતો રહ્યો હતો. તેને માર માર્યો હોય વાલીયા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. આ અંગે કમલેશ દશરથભાઈ વસાવાએ છના જેઠાભાઈ વસાવા, રાકેશ છના વસાવા ,દેવરાજ છના વસાવા અને સરોજ છના વસાવા તમામ રહે.હરીપુરા (આંબોસ) તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિ યુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા…

ProudOfGujarat

પી.એમ નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનું કરાયું ઈ-લોન્ચિંગ.

ProudOfGujarat

દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછુ થવાથી ભાવમાં વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!