Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામથી સ્મશાનને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દુધેશ્વર મંદિરથી સ્મશાનને જોડતા બે કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૧૦ કરોડના ખર્ચે ૨ કિમી ના રસ્તા પર મોટા નાળા સહીતનુ કામ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે રાણીપુરા ગામના તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ (ભલાભાઇ), સરપંચ જેન્તીભાઇ વસાવા, એપીએમસીના ડિરેક્ટર મનોજભાઇ દેસાઇ, ગામના સિનિયર સીટીઝન મનુભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ, પત્રકાર જયશીલભાઇ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્મશાનને જોડતા આ માર્ગનુ ખાતમુહૂર્ત ગામના સિનિયર મનુભાઈ પટેલેના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ માર્ગ તૈયાર થવાથી વર્ષોથી રાણીપુરા ગામે પ્રવર્તતી આ રસ્તાની સમસ્યા દુર થશે અને આ રસ્તો બનવાથી ઝઘડિયા મઢી સુધી પહોંચવું સરળ બની રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 152 મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી ટેગરોસ કંપનીમાં ગત રાત્રીના સમયે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!