Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ગામે અન્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગરીબોને અન્ન વિતરણ કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત હોલ ખાતે આજે ભાજપા દ્વારા અન્નોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો તેમજ લાભાર્થીઓએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનના સંબોધનના પ્રસંગોચિત લાઇવ પ્રસારણનો લાભ લીધો હતો.આયોજિત કાર્યક્રમમાં તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ,રાજપારડીના કાર્યકારી સરપંચ પિયુષ પટેલ,મોટાસોરવાના સરપંચ નિલેશભાઇ વસાવા તેમજ રાકેશભાઇ,સુભાષભાઇ વસાવા,કેતન ગાંધી,કિરણ વસાવા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અન્નોત્સવના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગરીબ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા.

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી ગટરો માથાના દુખાવા સમાન બની..!!

ProudOfGujarat

વડોદરા : પારૂલ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ સામે ફરિયાદ : પત્ર કર્યો હતો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!