Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના લાપતા થયેલ યુવકનો નર્મદાના કિનારે તણાઇને આવેલ મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામનો એક યુવાન ગત ૩૦ જૂનથી ગુમ થયો હતો. તારીખ બીજી જુલાઈના રોજ સાંજે આ યુવકનો મૃતદેહ લીલોડ ગામ નજીક નર્મદા નદીના કિનારે મળ્યો હતો.

વિગતો મુજબ ઉમલ્લાનો મયંક અશ્વિનભાઇ પટેલ નામનો ૩૫ વર્ષીય આ યુવક વડોદરા રહેતો હતો અને ખેતી અને ધંધાકીય કામ માટે ઉમલ્લા આવજા કરતો હતો. થોડા દિવસ પહેલા ફોરવ્હીલ ગાડી લઈને વડોદરા ગયેલ મયંક પરત આવેલો નહિ. તેની ગાડી પહેલી જુલાઈના રોજ પોઈચા નર્મદા બ્રિજ પરથી મળી હતી. મયંક ગુમ થયેલ હોઇ તેની તપાસ કરવા છતાં મળેલ નહિ. દરમિયાન તારીખ બીજી જુલાઈના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે નર્મદા કિનારાના લીલોડ ગામે નદીના કિનારે મરણ પામેલ હાલતમાં મયંકનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પી.એમ માટે કરજણ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલ તો ઉમલ્લાના આ યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયુ છે. યુવકે આત્મહત્યા કરી છેકે પછી કોઇએ તેને મારીને નદીમાં નાંખી દીધો હતો ?પોલીસ તપાસમાં આ રહસ્યનો પર્દાફાશ થશે એમ હાલ તો જણાઇ રહ્યુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચનાં માર્ગ પર સ્ટંટ કરતાં બાઈક સવારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 34 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2158 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!