Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનું બજાર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગા‌મે બજારો શનિવાર તેમજ રવિવારના દિવસોએ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજપારડીના ક‍ાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક નિવેદનમાં આ મુજબ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શનિવાર તેમજ રવિવારના રોજ રાજપારડીનું બજાર બંધ રહેશે એવી અફવાઓ ચર્ચામાં આવી હતી, ત્યારે પી.સી.પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી બજાર શનિ રવિના દિવસો દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર નાનામોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા તેમજ બજારમાં આવતા ગ્રાહકોએ કોવિડ ગાઇડ લાઇનને લગતા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડનીય ક‍ાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ધંધા બંધ રહેતા નાના ધંધાર્થીઓના રોજગાર પર અસર પડતી હોય છે. તેથી નાનામોટા વેપારીઓ સંક્રમણ ફેલાય નહિ તે મુજબ જરૂરી નિયમોનું પાલન કરીને પોતાના ધંધા ચાલુ રાખી શકશે, એમ ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાટણમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું રિજીયોનલ સાયન્સ સેન્ટર.

ProudOfGujarat

ભરૂચની નર્મદા નદી પર નવા બનેલા બ્રિજ ખાતે ગુડસ ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દાતાશ્રી દ્વારા બિસ્કિટ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!