Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ગ્રામ પંચાયતની અપીલને અનુલક્ષીને આજે રાજપારડીનું બજાર સંપૂર્ણ બંધ રહ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામનું બજાર આજે તા.૧૨ મી ને સોમવારે સંપૂર્ણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરે દેશવ્યાપી ભરડો લીધો છે, ત્યારે ઠેરઠેર ઘણા વેપારી સંગઠનો દ્વારા બજારો સ્વૈચ્છિક બંધ રાખવાના નિર્ણયો લેવાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ કોરોના સંક્રમણ ગ્રામીણ વિસ્તારો સુધી વિસ્તરી રહ્યુ છે, ત્યારે ગઇકાલે રાજપારડી ગામે કાર્યકારી સરપંચ પી.સી.પટેલે રાજપારડીના વેપારીઓને તા.૧૨ મીને સોમવારે બજાર સંપૂર્ણપણે બંધ રાખવાની અપીલ કરી હતી. રાજપારડીના નાનામોટા વેપારીઓએ ગ્રામ પંચાયતની અપીલને માન આપીને આજે સંપૂર્ણપણે બજારો બંધ રાખ્યા હતા.

વધુમાં તા.૧૩ મી એપ્રિલને મંગળવારથી સાત દિવસ સુધી રાજપારડીના બજારો સવારના સાતથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તરી રહેલ કોરોના સંક્રમણની ચેનને રોકવા માટે ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા તાલીમાર્થીઓનો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો.

ProudOfGujarat

કેનેડા જતા 28 લોકો સાથે ઠગાઈ કરનાર 4 આરોપીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા લારી ગલ્લા હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!