Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ધૂળેટી પર્વ મનાવવા તેના મિત્રો સાથે ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે માધીયાની નહેરવાળા નર્મદાના પ્રવાહવાળા પટમાં નાહવા માટે ગયો હતો. આ યુવક બધા મિત્રો સાથે નર્મદામાં નહાવા પડ્યો હતો. નદીમાં સ્નાન કરી રહેલ આ યુવક નદીમાં ઉંડા ખાડામાં ડુબી ગયો હતો. નદીમાં ડુબી ગયેલ યુવકને શોધવા તેની સાથેના મિત્રોએ પ્રયત્નો કર્યા હતા, પણ યુવક બચી શક્યો નહતો. નદીમાં ડુબી ગયેલ દર્પણનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં ઝઘડીયા પી.આઇ વસાવાએ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શોધખોળ બાદ નદીમાં ડુબેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો. ધુળેટીના દિવસે બનેલ આ કરુણ બનાવથી તાલુકામાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની સોશિયલ ડિસન્ટન્સિંગનાં પાલન સાથે શાનદાર ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિરોધ પક્ષની રજૂઆત છતાં ભરૂચ ડુંગરી વિસ્તારની પાણીની ટાંકી ન ઉતારતા આખરે આ ટાંકી ધરાશાયી થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઘરફોડ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!