Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો. વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો. બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપારડી પંથકમાં વરસાદનું આગમન થતાં ગરમીમાં રાહત.

ProudOfGujarat

નેત્રંગ-મોવી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

ProudOfGujarat

વાંકલ: માંગરોળ પંથકમાં ભેંસોની ચોરી કરતી ટોળકી સક્રિય: વેરાકુઈ ગામેથી રાત્રી દરમિયાન આંગણામાં બાંધેલી ભેંસો ચોરી ગયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!