Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

Share

ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક મહિના પહેલા ઝઘડીયા મામલતદારને પુછેલા પ્રજાલક્ષી પ્રશ્નનો સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીએ આજરોજ તા.૧૩ મીના રોજ રાજપારડી ચાર રસ્તા નજીક એક દિવસના પ્રતિક ઉપવાસ આદર્યા છે.આ પહેલા સોશીયલ મિડીયામાં ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક સંદેશ માં જણાવ્યુ હતુ કે મામલતદાર ઝઘડીયાને મેં ટેલિફોનીક માધ્યમથી પુછેલા પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે મને સંતોષજનક જવાબ મળ્યો નથી.તેથી હું રાજપારડી ચાર રસ્તા પર તા.૧૩ મીના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશ.જે મુજબ આજરોજ મહામંત્રીએ શરુ કરેલ ઉપવાસ દરમિયાન માજી તાલુકા ભાજપા પ્રમુખ નરેન્દ્ર વસાવા અને અન્ય કાર્યકરો એ તેમને સમર્થન આપ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં બાળકી અને સાયકલ સવાર ખાબકયાં અને પછી શું થયું જાણો ?

ProudOfGujarat

બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુની કમાલ, સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોંચી.

ProudOfGujarat

ભરૂચ-હપ્તો ન ભરવામાં આવતા એક સાથે ૧૪ મકાનો ને સીલ મરાયા-સ્થાનિકો કેમ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો-જાણો ક્યાં બની ઘટના…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!