Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં ચાર રસ્તા પરથી અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ પસાર થાય છે. રાજપારડી ચાર રસ્તાથી લઇને કબ્રસ્તાન સુધી આ ધોરીમાર્ગ પર એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા છે. ચોમાસાની શરૂઆતે ચાર રસ્તા નજીક માર્ગ પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનો ફસાવાની ઘટનાઓ બનતા હોબાળો થયો હતો. બાદમાં તંત્ર દ્વારા રોડની એક તરફની બાજુએ મેટલોના ઢગલા કરવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ કોઇ સઘન કામગીરીના અભાવે લાંબો સમય વિતવા બાદ પણ મેટલોના ઢગલા યથાવત રહ્યા છે. પરિણામે જનતાની તકલીફ ઘટવાના બદલે વધી રહી છે.

માર્ગની એક તરફ ખડકાયેલા મેટલોના ઢગલાઓના કારણે રાજપારડી ચોકડીથી લઇને માધુમતિ ખાડીના પુલ સુધી બંને તરફના વાહનોએ એક જ તરફના માર્ગે થઇને આવજાવ કરવી પડે છે. આ ધોરીમાર્ગ પર લાંબા સમયથી રોંગ સાઇડે દોડતા વાહનોની સમસ્યા જણાય છે પરંતુ રાજપારડીના ચાર રસ્તા નજીક મજબુરીના કારણે રોંગ સાઇડે દોડતા વાહનોથી કોઇવાર જીવલેણ અકસ્માત થશે ત્યારે તંત્ર જાગશે ? કે પછી તંત્ર અકસ્માતની રાહ જોઇને બેઠુ છે ? આ બ‍ાબતે જનતામાં પ્રશ્નાર્થ સર્જાયો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

હાલમાં કોરના વાયરસનાં ફેલાવવાનાં કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહયુ છે આ સમયે ભરૂચ જિલ્લાનાં આમોદ ૧૦૮ નાં સ્ટાફે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

ProudOfGujarat

ભરૂચ: કંગના રનૌત મુદ્દે BTP ના ધારાસભ્ય છોટુ વસાવાની ગર્જના,કહ્યું સારું છે મહારાષ્ટ્ર માં છે,યુ.પી માં વિરોધ કર્યો હોત તો,આવું થાત…જાણો વધુ

ProudOfGujarat

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!