Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી ૩ કી.મી. દુર આવેલ પહાડ પર સુફી સંત હઝરત બાવાગોરની ૮૦૦ વર્ષ જુની દરગાહ આવેલી છે. આ દરગાહના પહાડ પર હઝરત બાવાગોરના સમયથી ચશ્મો (પાણીનો કુંડ) આવેલો છે. આ ચશ્મો (કુંડ) દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે વધાવવાની પ્રણાલી છે. તાજેતરમાં કોરોના મહામારીને લઇને વધુ માણસોએ એકઠા થવામાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય નહિ તેથી સરકારની ગાઇડ લાઇન મુજબ મેળાઓ ભરાશે નહિં. હઝરત બાવાગોરની દરગાહે ચાલુ સાલે તા.૧૭-૯ ને ગુરુવારના રોજ ભરાનાર ચશ્માનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે. દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયા મુજબ ચશ્માનો મેળો બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા ચોકડી પર બાઇક સવાર દંપતીને અન્ય બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત.

ProudOfGujarat

સુરતઃ સાડા ત્રણ વર્ષની બાળકી ગુમ, પોલીસની 10 ટીમો કામે લાગી, બાળકી મળી મૃત

ProudOfGujarat

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે “કૃમિ નાશક દિવસ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!