Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વન સંપતિ આવેલી છે. તાલુકાના રતનપુર નજીકના જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજે તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાં એક દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાતા ખેડૂત દ્વારા તે બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડો પુખ્ત વયનો જણાતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તેનું મોત થયુ હોવાનું પ્રથમ નજરે જણાતુ હતું. જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલ હતી. ખેડૂત દ્વારા ઝઘડીયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપવામાં આવી હતી. મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનુ સ્થળ પર જ પી.એમ કરાયુ હતું. મરણ પામેલ પુખ્ત નર દિપડાની ઉંમર આશરે પાંચ વર્ષની હતી અને લંબાઈ આશરે પાંચ ફુટ જેટલી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ગોધરામા બાબા સાહેબ આંબેડકરની જન્મજંયતીની ઉજવણી.

ProudOfGujarat

સુરતમાં ગુનેહગારે પોલીસને આપી ધમકી, મને HIV છે, બચકું ભરી લઈશ

ProudOfGujarat

ભરૂચ : ગંદકીનું સ્વીમીંગ પુલ : લક્ષ્મીનગર વિસ્તારમાં પહેલા જ વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું : રહીશો દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!