Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં સરકારી વાઘપુરા ગામની સીમમાં મૃત હાલતમાં દીપડો મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિપુલ પ્રમાણમાં વન સંપતિ આવેલી છે. તાલુકાના રતનપુર નજીકના જંગલની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરે છે. આજે તાલુકાના સરકારી વાઘપુરા ગામની સીમમાં એક દીપડો મૃત હાલતમાં પડયો હોવાનું જણાતા ખેડૂત દ્વારા તે બાબતે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડો પુખ્ત વયનો જણાતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તેનું મોત થયુ હોવાનું પ્રથમ નજરે જણાતુ હતું. જેથી તેની બોડી ડીકમ્પોઝ થયેલ હતી. ખેડૂત દ્વારા ઝઘડીયા વન વિભાગનો સંપર્ક કરી મૃત દીપડા વિશે માહિતી આપવામાં આવી હતી. મૃત દીપડાની ડીકમ્પોઝ થયેલ બોડીનુ સ્થળ પર જ પી.એમ કરાયુ હતું. મરણ પામેલ પુખ્ત નર દિપડાની ઉંમર આશરે પાંચ વર્ષની હતી અને લંબાઈ આશરે પાંચ ફુટ જેટલી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ગોધરા માં પરીંદા ભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

રાજકોટમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે એન્ટર પ્રીન્યોરશીપ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના જંબુસરમાં વકફ અધિનિયમ 1995 કલમ 70 હેઠળ ગેર વહીવટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરતો મુસ્લિમ સમુદાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!