Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં કોરોના વિસ્ફોટ-એકસાથે ૭ પોઝિટિવ કેસ નોંધાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે સાત કોરોના પોઝિટિવ કેસ જાહેર થતાં તાલુકામાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.મળતી વિગતો મુજબ આજે તાલુકાના અલગ-અલગ પીએસસીના વિસ્તારોમાં ૭ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તાલુકાની જનતા ભયભીત બની છે. ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં નોકરી કરતા અને અમદાવાદના રહીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ અત્યારસુધી કુલ ૨૪ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા, જેમાં આજે નવા આવેલા ૭ કોરોના પોઝિટિવ કેસ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩૧ પર પહોંચી છે, જેને લઇને તંત્ર અને જનતા ચિંતિત બન્યા છે. આજે આવેલા સાત કોરોના પોઝિટિવ કેસોમાં ગોવાલી ગામના ચાર કેસો પોઝિટિવ છે. જેમાં રોહન સતિષભાઈ પટેલ ઉ.વ ૨૮, ભારતીબેન સતિષભાઈ પટેલ ઉ.વ ૫૨, બીપીનભાઈ છીતાભાઈ પટેલ ઉ.વ ૬૨ ત્રણે રહેવાસી ગોવાલી અને અખિલેશ ખુશબહાર ઉ.વ ૨૨ સીતારામ પેપરમીલમાં કામ કરે છે. ઉમલ્લા પોલીસ મથકે હસ્તગત કરાયેલા બે આરોપી પૈકી રાહુલ રમેશભાઈ બારીયા રહે. રાહતલાવ, ધોલેરા, અમદાવાદ જે સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી તરીકે હસ્તગત થયો છે અને છત્રસિંહ જેસીંગ વસાવા ગામ વલા,તા. ઝઘડિયા જેને ઉમલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં હસ્તગત કર્યો હતો, આ બંનેના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.ઉપરાંત ભાલોદના અનિલ અરવિંદભાઈ માછી ઉ.વ ૨૪ જે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવે છે,તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ આજે તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૭ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા તાલુકાની જનતામાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવતા અભિષેક જૈન રહેવાસી અમદાવાદને પણ કોરોના પોઝિટિવ આવતા તેને તેના વતન અમદાવાદ મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાંથી ૨ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા કંપની સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવારોના અન્ય સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.અને પોઝિટિવ આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા છે.આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તથા આરોગ્ય તપાસણી તેમજ કન્ટેન્ટમેન્ટ એરિયાના રહીશોને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

દહેજની GFL કંપનીના મૃતકોને રૂ. 50 લાખનું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા*

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!