Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાનાં દુ:બોરીદ્રા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી ચિંતા.

Share

ઝઘડિયા તાલુકામાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના ઝઘડીયા, રાણીપુરા, રાજપારડી, ઉમલ્લા, અછાલીયા, દુ:વાઘપુરા, બલેશ્વર બાદ ઝઘડિયાના દુ:બોરીદ્રા ગામમાં કોરોના પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઝઘડિયા તાલુકાના દુ:બોરીદ્રા ગામે રહેતા આશિષ શાંતુભાઇ વસાવાને કોરોના કેસ આવ્યો છે. ગોવાલી પીએચસીમાં સમાવિષ્ટ દુ:બોરીદ્રા ગામ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નવીનગરી વિસ્તારના ૫૫ થી વધુ પરિવારોનો આરોગ્ય સર્વે કરી તેમને જરૂરી માર્ગદર્શન, સૂચનો તથા દવાઓ પુરી પાડવામાં આવી છે. જ્યારે દુ:બોરીદ્રા ગામના કોરોના પોઝિટિવ દર્દી આશિષ વસાવાને કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે તથા તેના પરિવારના બે સભ્યોને અવિધા ખાતે ફેસીલીટી હોમ કવોરેંટાઇન કરવામાં આવ્યા છે. દુ:બોરીદ્રા ગામમાં પ્રવેશનો એકમાત્ર માર્ગ સ્થાનિકો તથા આરોગ્ય વિભાગ તથા ઝઘડિયા પોલીસ વિભાગની મદદ વડે બંધ કરવામાં આવ્યો છે. ઝઘડિયા પંથકમાં દિવસે દિવસે વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે તાલુકા વાસીઓમાં કોરોના પ્રત્યે ભયનો માહોલ વધી રહ્યો છે.

Advertisement

Share

Related posts

પાલીતાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે ચુટણી યોજાઈ હતી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!