Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા મુકામે હઝરત કયામુદ્દિનબાવાની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત સુપ્રસિધ્ધ સુફી સંત હજરત કયામુદૃીન બાબા ચિશ્તીની દરગાહ ખાતે તા.૫ અને ૬ મે ના રોજ બે દિવસીય વાર્ષિક ઉર્સ મનાવવામાં આવશે. ઉર્સ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં સંદલ શરીફ, મહેફીલ એ શમા તથા ભજનોના કાર્યક્રમ યોજાશે. ઉર્સમાં ભાગ લેવા હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં દરગાહ શરીફે હાજરી આપશે. ઘેરઘેર ગાયો પાળોનો બોઘ આપીને સમાજમાં કોમી એકતાનો સંદેશ ફેલાવનાર મોટામીયા માંગરોલની ગાદીવાળા હઝરત હાજીપીર કયામુદૃીન બાવાની દરગાહ શરીફે તા. ૫ મીના રોજ બપોરે ૪ વાગ્યે સંદલ શરીફ હઝરત સુલતાનશા પીર દરગાહ કમ્પાઉન્ડથી નિકળી ઝઘડિયા નગરમાં રાબેતા મુજબના સ્થળોએ થઇને દરગાહ શરીફે પહોંચશે,જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચઢાવાશે. તા ૬ ના રોજ સવારે તકસીર એ લંગર તથા બાબા ફરીદ, હઝરત કયામુદૃીન ની શાનમાં ભજનોના જલસા થશે. રાત્રે મહેફીલે શમા નો કાર્યક્રમ યોજાશે. હઝરત કયામુદૃીનબાવાની દરગાહ ખાતે ચાલુ સાલે ૧૪ મો વાર્ષિક ઉર્સ મનાવાશે. ઉર્સમાં ભાગ લેવા ગુજરાત સહિત ગુજરાત બહારથી હિન્દુ-મુસ્લિમ શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવશે, અને હઝરતના પવિત્ર આશિર્વાદનો લાભ લેશે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા સુલતાનપુરા ગામે દરગાહ શરીફ નજીકના માર્ગનું નામ હઝરત કમાલુદ્દિન બાવાના નામ સાથે જોડવામાં આવ્યું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નબીપુર પોલીસ મથકમાં સાયબર જાગૃકતા દિવસ હેઠળ મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

નડિયાદમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શૈક્ષણિક ચીજવસ્તુઓની ખરીદી માટે વાલીઓ ઉમટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!