Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ સુરેશભાઇ વસાવા તેમજ ઉપસરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા મથક ઝઘડિયા ખાતે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઇ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, સંજયસિંહ ચૌહાણ, તલાટી જનકભાઇ, અગ્રણીઓ વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સુલતાનપુરા ખાતે પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવાશે. જીલ્લા પંચાયત દ્વારા રુ.૨૫૭૭૦૦૦ ના ખર્ચે આ નવું પંચાયત મકાન બનાવાશે. નવું પંચાયત મકાન બનાવાતા ગ્રામજનોને સુવિધાનો લાભ મળશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

ભરૂચની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, તેના માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!