Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતા હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન પર આવતા ગામોને જોડતા રસ્તાઓ પર ગરનાળા બનાવેલા છે. ઘણા ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ ગ્રામ્ય જનતાને આવજાવ કરવામાં તકલીફ ભોગવવી પડે છે. લાંબા સમયથી આ સમસ્યા પ્રવર્તમાન હોવા છતાં તેના નિવારણ માટે કોઇ સઘન પગલા ભરાતા નથી, તેથી જનતાની હાલાકિ યથાવત રહે છે. આ ગરનાળાઓ પૈકી કેટલાક ગરનાળાઓમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાઇ રહેતું હોઇ તેના નિકાલ માટે કોઇ અસરકારક આયોજન કરવાની જરૂર છે. ત્યારે રેલવે દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય પગલા લેવાય તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા : સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી લાખોની મત્તાનો ઈંગ્લીશ દારૂ પકડાયો.

ProudOfGujarat

રાજપીપળા : ગોરા રેન્જમાં આવેલા બરખાડી ગામે જંગલમાં પથ્થરમારો થતાં બે વનકર્મીઓ ઘવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર- 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!