Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપીરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના આતંકના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું. કપીરાજે પાંચથી વધુ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને અવિધાની સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપવામા આવી.

આ અંગેની ઝઘડિયા વનવિભાગે જાણ કરાતા વન વિભાગ દ્વારા કપિરાજને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. લખાઈ રહ્યું છે ત્યાં સુધી કપિરાજ પજારે પુરાયો નથી હાલ કપિરાજને ઝડપી પાડવાની કવાયત વન વિભાગ દ્વારા ચાલુ છે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાની ૬ પૈકી ૫ વિધાનસભાના ઉમેદવાર સત્તાવાર જાહેર.

ProudOfGujarat

નડિયાદ નેશનલ હાઇવે નં. ૮ ડભાણ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ : દોઢ વર્ષ પહેલા કોહિનૂર સોસાયટીમાંથી ચોરી થયેલ ઈકો ગાડીના સિકલીગર ગેંગ પૈકીનાં એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!