Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના રાજપારડી ગામના ૧૧ યુવાનો અમરનાથની યાત્રાએ જતા વિદાયમાન અપાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ૧૧ જેટલા યુવાનો અમરનાથની યાત્રાએ જતા ગામ અગ્રણીઓ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડીના ૧૧ નાગરીકો ગતરોજ બાબા અમરનાથની યાત્રા માટે નીકળ્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઇ ચૌહાણ તેમજ અગ્રણીઓ સુનિલભાઇ પટેલ અને પુનમદાસ વસાવા દ્વારા તેમને ફુલહારથી સન્માનિત કરીને વિદાયમાન આપવામાં આવ્યુ હતું. રાજપારડી ગામેથી અમરનાથની યાત્રા માટે નીકળેલ આ ૧૧ યુવાનોને ગ્રામજનોએ વિદાયમાન આપીને તેમનો પ્રવાસ સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુવાનો તેમની અમરનાથની યાત્રાનો ૧૨ દિવસનો પ્રવાસ પુર્ણ કરીને પાછા ફરશે. ઉલ્લેખનીય છેકે દરવર્ષે રાજપારડીથી ભાવિક યુવાનો દ્વારા બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ન કોટ વિસ્તાર માં આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે રૂમ માં થયેલ હત્યા મામલે પોલીસ ને મોટી સફળતા મળી હતી….ડો.અને કમ્પાઉન્ડર ઝડપાયો ….

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ દ્વારા હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો ૨ થી ૧૬ એપ્રિલ સુધી ન જવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!