Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પાણેથા માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે અકસ્માતની દહેશત.

Share

ભરૂચ જીલ્લાના ઉમલ્લાથી પાણેથા અશા તરફ જવાના માર્ગ પર માર્ગ વચ્ચે ચાલતા પાલતુ પશુઓની સમસ્યા દેખાય છે. ઉમલ્લાથી આગળ જતા ખાખરીપુરા નજીક ઘણીવાર માર્ગ પર ભેંસ, બળદ, બકરા જેવા પાલતુ પશુઓ રોડ પર આડેધડ ચાલતા હોવાના કારણે અકસ્માતની દહેશત જણાય છે. પાલતુ પશુઓને ચરાવવા લઇ જતા કેટલાક ઇસમો આ બાબતે ખાસ કોઇ કાળજી રાખતા નથી, એવી ચર્ચાઓ વાહનચાલકો અને રાહદારીઓમાં ચર્ચાઇ રહી છે. માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે કોઇવાર અકસ્માત થશે ત્યારે તેને માટે કોણ જવાબદાર ગણાશે? આ બાબતને લઇને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ચિંતા ફેલાવા પામી છે.

અબ્દુલરઉફ ખત્રી ઉમલ્લા જી.ભરૂચ

Advertisement

Share

Related posts

હેપ્પી બર્થડે જ્યોતિ સક્સેના : અભિનેત્રીએ જીવનમાં શીખેલી 4 મહત્વપૂર્ણ બાબત જણાવી

ProudOfGujarat

અંકલેશ્વર : નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧ ના બે રસ્તાનું ખાતમુહર્ત કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!