Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગરની ગ્રીનવેલી સોસાયટી ખાતે શ્રી અંબેશ્વર મહાદેવ તથા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજોયો હતો. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ગુમાનદેવ ખાતે કુટીર હવન, શોભાયાત્રા, જલાધિવાસ તથા પૂજાનો પ્રારંભ થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે પૂજાનો પ્રારંભ, સ્નપન વિધી, હવન કાર્ય ધાન્યાધિવાસ તથા સાયં પૂજા યોજાઇ હતી, જ્યારે ત્રીજા દિવસે ધ્વજારોહણ કલશ સ્થાપન, રત્નન્યાસ તથા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તથા રાત્રે ગીતાબેન રબારીનો ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્રણ દિવસના કાર્યક્રમમાં મહંતો, સંતોએ ઊપસ્થિત રહી શુભ આશીર્વાદ આપ્યા હતા. આ ત્રીદિવસીય કાર્યક્રમ તેમજ ડાયરામાં મોટી સંખ્યામાં જનસમુદાયે હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

બેરોજગાર ગરીબોની વ્હારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુ.કે)ના આબીદભાઈ પટેલ તેમજ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી મુસ્લિમ સોસાયટી નજીક હાથલારી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ઋષિ પંચમી નાં પાવન અવશરે ગુરુ ભ્રામણ સમાજ દ્વારા મહર્ષિ ભગવાન ગર્ગાચાર્ય મહારાજ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!