Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે આર.સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુ.વાઘપુરા ગામે ઝવેરનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૯ માં સમાવિષ્ટ ઝવેરનગર ખાતે દુ.વાઘપુરાના સરપંચ મુકેશભાઇ વસાવાના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

નવા બનનાર આરસીસી રસ્તાનું ખાતમુહર્ત કરાતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી લાગણી સોસાયટીના રહીશોએ વ્યક્ત કરી હતી, જેથી ચોમાસામાં પડતી હાડમારી નિવારી શકાય. ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ખાતમુહર્ત બાદ વહેલી તકે કામ શરુ કરવામાં આવશે એમ જણાવાયું હતુ. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા દુ.વાઘપુરા એ ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથકો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નજીક વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર બ્રિજનાં બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોક ડાઉનનાં સમય દરમિયાન સર્વ કામગીરી હાથ ધરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.

ProudOfGujarat

નેત્રંગ : આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પીંગોટ અને ધોલી ડેમોમાં પાણી નહિવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!