Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

ઝઘડિયા તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અત્રે વિજય ભારતી ગ્રામ ઉદ્યોગ સંકુલ ખાતે આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિત, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, તાલુકા પંચાયતના સારસા બેઠકના સદસ્ય આરતીબેન પટેલ, સારસાના ઉપ સરપંચ ભાવિશાબેન પટેલ, એપીએમસીના ચેરમેન દીપક ભાઈ પટેલ તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત તાલુકાના વિવિધ હોદ્દેદારો તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્યોમાં આપણાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ બાબાસાહેબ આંબેડકરે આપેલ શીખ મુજબ એક સાચા ભારતીય બનીને જીવન વ્યતીત કરવા અનુરોધ કર્યો હતો. અંતે વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિતે સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં ફૂલવાડી ચોકડી નજીકથી ખેરનાં લાકડા ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમના સભ્યોએ દિવાળી નિમિત્તે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મહાત્મા ગાંધીજીની સુંદર રંગોળી બનાવી.

ProudOfGujarat

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાના વેપારમાં તેજી.એસ.ઓ.જી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા.બંને આરોપી ઓરિસ્સાના.એક આરોપી વોન્ટેડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!