Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગરુડેશ્વરના ટીમરવામાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…

ProudOfGujarat

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!