Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરના પોપટચોકડી પાસે પંચમુખી હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. આ મંદિરના સંત અને સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ) ભાદરવા સુદ બીજના રોજ 2017 માં બ્રહ્મલીન થયા હતા. આ સંત વિરમગામના પ્રેરણાદાયી સંત હતાં તેમના દેવલોક પછી વિરમગામને એક સાચા સંતની ખોટ પડી હતી. આ સંતના હસ્તે ઘણા સેવાના કાર્યો થયેલા છે. વિરમગામમાં ગરીબોને દાન કરવું, પશુપક્ષીની સેવા,ગાયોની સેવા કરવી અને ધર્મનું જતન કરતા આ મહાન સંતની રવિવારે બીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી. આ પ્રસંગે સવારે ૮.૩૦ કલાકે રામધૂન અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાત્રિનાં સમયે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

નડિયાદ બધિર વિદ્યાલયમાં બધિર દિવસ-સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના પ્રતિનચોકડી નજીક IDBIG  બેન્ક માં નાણાં જમા કરાવવા માટે આવેલ શખ્સ ની ૧.૫૦ લાખ ની મત્તા લઇ બે અજાણ્યા મોટરસાયકલ સવાર શખ્સો ફરાર થઇ જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!