Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગ્રામપંચાયતના સરપંચ તો દેશાડ ગામના વોર્ડ સભ્યની ચુંટણી તારીખ ૨૨ એપ્રિલના રોજ યોજાશે

Share

 

વાલિયા તાલુકાની બે ગ્રામપંચાયતોની ચુંટણીની તારીખ ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.વાલિયા ગ્રામપંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વાલિયા ગામનું રાજકારણ ગરમાયું હતું અને સરપંચની જગ્યા ખાલી પડી હતી.જે અનુસંધાને વાલિયા ગ્રામપંચાયતના સરપંચ માટે ચુંટણી યોજાશે.ચુંટણીના કાર્યક્રમ પર નજર કરીએ તો તારીખ ૭ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે,ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ જ્યારે ૨૨ એપ્રિલે મતદાન તો તારીખ ૨૪ એપ્રિલે મતગણતરી યોજાશે.આજ રીતે દેશાડ ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૩નાં સબ્ય માટે પણ ચુંટણી યોજાશે.ચુંટણીની તારીખો જાહેર થતા જ વાલિયા ગ્રામપંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

Advertisement

 


Share

Related posts

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી-રાજ્યમાં હજુ 3 દિવસ સુધી રહેશે વરસાદી વાતાવરણ……

ProudOfGujarat

રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે વર્ષ-૨૦૧૮-૧૯ની બેચના તાલીમી ફોરેસ્ટ રેન્જ ઓફિસર્સની યોજાયેલી પાસીંગ આઉટ સેરેમની.

ProudOfGujarat

પાલેજ – પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સિસ્ટમ દસ દિવસથી બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!