Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

Share

રાજ્યના તલાટીઓ વિવિધ માંગણીઓનું નિરાકરણ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન મુજબ વાલીયા તાલુકાના તલાટી મંડળે વાલીયા મામલતદાર જે.જે રાઠવા તમેજ વાલીયા તાલુકા વિકાસ અધિકારી કે.કે પટેલને આ બાબતે આવેદન પત્ર પાઠવી હડતાલમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જેથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તમામ જાતની કામગીરીઓ ઠપ થઈ જશે. રાજ્યના તલાટીઓની વર્ષો જુની માંગણીઓનું નિરાકરણ લાવવા શરૂ કરેલા શાંત આદોલનનું પરિણામ નહી આવતા સરકારને ભીસમાં લેવા તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં વાલીયા તલાટી મંડળ પણ જોડાશે તેવું વાલીયા તાલુકા મંડળના પ્રમુખ મુકેશભાઈ પંડીતે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

આવનારા ૨૪ કલાકમાં લોકસભાના ઉમેદવારો જાહેર થઇ જાય તેવી સંભાવનાના પગલે સમગ્ર ભરૂચ પંથકમાં રાજકીય ઉત્તેજનાઓ…

ProudOfGujarat

નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં દિનશા પટેલ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કીટનાશક ટ્રીટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું સગર્ભા માતાઓને વિતરણ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!