Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં ભક્તિ ગ્રુપ તરફથી 600 કીટોનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં દાતા અલ્પેશભાઇ ગજેરા ભક્તિ ગ્રુપ તરફથી જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ રહેતા તેમના હસ્તે આ કીટો જરૂરિયાત મંદ પરિવારોને આપવામાં આવી હતી. વાડી ગામનાં સાત જેટલાં ફળીયાનાં 600 જેટલાં જરૂરિયાતમંદ પરિવારો ઉપરોક્ત અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. તેમજ વાડી ગામના બાકી રહેલા અન્ય પરિવારો માટે પણ દાતા અલ્પેશભાઇ ગજેરા એ કીટો આપવાની જાહેરાત કરી હતી. વાડી ગામનાં સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવા, તા.પંચાયતનાં સભ્ય નરપત ભાઇ વસાવા વગેરે આગેવાનોએ કીટનું વિતરણ કર્યું હતું તેમજ દાતા અલ્પેશભાઇ ગજેરાનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

લીંબડીના નવનિર્મિત બસ સ્ટેશનમાં ગંદકીનાં સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

માંગરોળ : બીજા મહિને પણ અનેક વાહનો RTO ના કામે માંગરોળ ખાતે આવ્યા.

ProudOfGujarat

વડોદરા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા રોજગાર મેળાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!