Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : નંદેસરીની ઓરિએન્ટલ કંપનીમાં મોરના મૃત્યુ મામલે પી.એમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

Share

વડોદરાના નંદેસરી ખાતે આવેલી ઓરિએન્ટલ કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજયું છે. મોરના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ કુતરાએ મોરને પકડ્યું હોવાનું જણાઇ આવી રહ્યું છે. જોકે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ બાદ કંપની ખાતે જ તેની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સમગ્ર મામલાની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણ રાજપૂતને જાગૃત નાગરિકે કરતા સામાજીક વનીકરણ વિભાગ વડોદરાની ટીમ કંપની ખાતે પહોંચી હતી. કંપની ખાતેથી સામાજિક વનીકરણ વિભાગની ટીમે મોરના મૃતદેહને કબ્જે લઇ તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે મીડિયા સમક્ષ સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના રેંજ ઓફિસર કરણ રાજપૂતે વધુ વિગત આપી હતી અને સાથે જ જો પી.એમ માં મોરનો શિકાર કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવશે તો નિયમોને આધીન કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

આમોદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી

ProudOfGujarat

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના કેસોની ડ્રાઇવ તા. ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ સુધી રાખવામાં આવેલ હતું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ ખાતે રહેતા સોની પરિવાર ગુમ થતા ગામ ના ૧૫ થી વધુ લોકોની નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી…ભોગ બનેલાઓ એ રજુઆત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!