Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ડભોઇમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

વડોદરાના ડભોઈમાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી આપવામાં આવતું ન હોય આથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્ય સરકાર સમક્ષ આ વિસ્તારનાં ખેડૂતોને નર્મદા કેનાલમાંથી ખેતી માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.

આ લેખિત આવેદનમાં જણાવ્યા અનુસાર ખેડૂતો તમામ ઋતુઓનાં પાક લઈ શકે તે માટે તે ઉપરાંત જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવામાં આવે તે મુખ્ય પ્રાથમિકતા કહેવાય છે. ઉદ્યોગોને પાણી મળવું જોઈએ પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે વાત યોગ્ય નથી. ડભોઈ તાલુકામાં ૨૦ જેટલી નર્મદા વસાહત ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. 20 પૈકી ચાર વસાહતોનાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેઓની ખેતી નર્મદા કેનાલ પર નભે છે આથી ખેતી માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. ઉનાળુ પાકને ભારે નુકસાન થાય છે. ડભોઇ તાલુકાનાં ખેડૂતોને પૂરતું પાણી ન મળતા તેઓ ખેતીમાં નુકસાની વેઠી રહ્યા છે. આથી ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ મારફતે તાત્કાલિક પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કંથારીયા ગામે દારૂનો ધંધો કરતી બુટલેગર મહિલાઓએ આવેદનપત્ર આપનાર યુવાન પર હુમલો કરી માર મારતાં તાલુકા પોલીસ મથકમાં 6 મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat

ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ખાતે આજથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે આવકારવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!