Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે માતા રાણીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક ભકતોએ પુજા-અર્ચના કરી.

Share

આજથી ચૈત્ર નવરાત્રી 2022 નો પ્રારંભ થયો છે. મંદિરોમાં માતા રાણીના મંત્રોચ્ચાર થાય છે. આ સાથે જ હિંદુ નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે સવારથી જ દેશભરના દુર્ગા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. માતાના મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

ભક્તો મા દુર્ગાનો જયજયકાર કરી રહ્યા છે. નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે, આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા રાણીના આશીર્વાદ મેળવવા અને તેમની ભક્તિમાં ભક્તો ઉપવાસ રાખે છે. ચૈત્ર નવરાત્રીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં દરવાજા સ્થિત આવેલ વર્ષો પૌરાણીક મંદિર આવેલ છે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

Advertisement

Share

Related posts

વાહ વાહી લૂંટવા નો પોલીસ તંત્ર માં ખેલ…? ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની કામગીરી સામે કોર્ટ માં ઉઠ્યા સવાલ,?ટંકારીયા અને કંબોલી ચોરી પ્રકરણ માં મુદ્દામાલ ના ભાવો અલગ અલગ બતાડ્યો હોવાની ચર્ચા

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામમાંથી પ્રથમવાર દુર્લભ જાતિનો રેતીયો સાપ મળી આવ્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રોજગાર કચેરીની સેવાઓ ઘેરબેઠા પૂરી પાડવા હેલ્પલાઈન શરૂ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!