Proud of Gujarat
FeaturedGujaratINDIA

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

Share

શીખ સમાજના પ્રતિનિધિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા ધર્મના નામ પર વિરોધ કરવામાં આવે છે તેમજ આજે ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહ છાણી ગુરુદ્વારા નાનક દરબાર સમા રોડ ગુરુદ્વારા નાનક વાડી સાહેબ ખંડેરાવ માર્કેટ અને ગુરુદ્વારા ગુરુ અર્જુનદેવજી તરસાલીના તમામ પ્રતિનિધિ દ્વારા સોશિયલ મીડિયા પર થયેલી ખોટી વાતો અને ગુરુદ્વારા વિશેના ખોટા મેસેજો ફેલાવનાર લોકો પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને આ મેસેજને સોશિયલ મીડિયામાં ફરતા અટકાવવામાં આવે તેવી માંગણી સાથે આજે શીખ સમાજના તમામ ગુરુદ્વારાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરા પોલીસ કમિશનર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ગોધરા : જીવદયાધામ પરવડી ખાતે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!