Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પાછીયાપુરા ગામ કે જ્યાં આજે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં સ્મશાનની સુવિધાથી ગ્રામજનો વંચિત છે.ગુરુવારના રોજ પાછીયાપુરા ગામમાં એક વ્યક્તિનું મરણ થતા વરસતા વરસાદમાં અંતિમવિધિ કરવાનો વારો આવ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા જ્યાં અંતિમવિધિ થઇ રહી હતી તે જગ્યાની મુલાકાત લેતા વરસતા વરસાદમાં મૃતકની અંતિમવિધિની ક્રિયા તેઓના સ્વજનો દ્વારા સંપન્ન કરાઇ રહી હતી. તો બીજી તરફ પાછીયાપુરા ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ બાબતે તાલુકા તથા જિલ્લા કક્ષાએ રજુઆત કરી છે. પંચાયતમાં બે વાર ઠરાવ પણ કર્યા છે. અમે સ્મશાનની જગ્યા માટે આગળ રજુઆત કરીશું એમ તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરતના પાલ ઉમરા બ્રિજ પર બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડતા એકનું મોત

ProudOfGujarat

રાજપીપલાના મહારાણી રુકમણીદેવીજીએ પદ્માવત ફિલ્મના વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!