Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Share

વડોદરા જિલ્લાના કરજણ ભરત મુનિ હોલમા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડીથી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતાં. તેઓનું કરજણ -શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોરના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ (નિશાડીયા)પટેલ, કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકાના ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ જેવા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જન આશીર્વાદ યાત્રાનો મુખ્ય હેતુ પ્રજાનું સ્વાગત, મંદિર દર્શન, દરેક સમાજના આગેવાનોની મુલાકાત, રમતવીરોને મળવાનું, સાધુ સંતોની સાથે મુલાકાત લઈ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેને દરેક સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાના એનએસ એસ યુનિટ નાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો તથા કપૂરની પોટલીનું વિતરણ કરાયું

ProudOfGujarat

નેત્રંગના બલદવા, પીંગોટ અને ધોલી ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને રજૂઆત કરી.

ProudOfGujarat

સરકારનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં નેત્રંગ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!