Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા તાલુકાના પોર સ્થિત બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર રૂપિયા ચાર કરોડના ખર્ચે કોઝ વે નું નિર્માણ કરાશે.

Share

વડોદરા તાલુકાના પોર સ્થિત સરકાર હસ્તક આવેલું સુપ્રસિદ્ધ બળીયાદેવ મંદિર પાસે વહેતી ઢાઢર નદી પર સાદો બ્રિજ (કોઝ વે) નું રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. બ્રિજ મંજૂર થતા બળીયાદેવ મંદિર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.

ઉપરોક્ત બ્રિજ યાત્રાળુઓની સવલત માટે મદિરના સ્વભંડોળમાંથી રૂપિયા ચાર કરોડના ખર્ચે કરવાની સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બળીયાદેવના મંદિરે જવા માટે પોર ગામમાંથી જવુ પડતુ હતુ અને બજારમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી. હવે બ્રિજ મંજૂર થતા બ્રિજનું કાર્ય પૂર્ણ થશે ત્યારે શ્રદ્ધાળુઓને તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

સ્થાનિક લોકોએ નોકરી (રોજગાર) આપવા મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદીવાસીઓનાં ધરણાં. ( વિરોધ પ્રદર્શન )

ProudOfGujarat

આરતી ઇન્ડસ્ટ્રીઝ, ઝધડિયા દ્વારા વેસ્ટ નિકાલ અને પ્રદુષિત પાણીનું જાહેરમાં નિકાલ કરાતા થયેલ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!