Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે રસી મૂકાવી…

Share

કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે રસી મૂકાવી પ્રજાજનોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી. વધતા જતા કોરોના સંક્રમણને લઈને રાજયમાં કોવિડ પ્રતિરોધક રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સમાજમાં કેટલાક લોકોમાં રસીને લઈને ભ્રામક વાતો ફેલાઈ રહી છે અને અફવાઓને લઈને કેટલાક લોકો રસી મૂકાવવાથી દૂર રહે છે.

ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા ગામે પીરે તરીકત સૈયદ મુસ્તાકઅલી બાવાસાહેબ અને પીરે તરીકત સૈયદ વાહીદઅલી બાવાસાહેબે રસી મૂકાવીને લોકોને રસી મૂકાવવાનો સંદેશ આપ્યો હતો. હાલ સમાજમાં કોવિડ વેક્સિનને લઈને ભ્રામક વાતો ફેલાઈ રહી છે. અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે લોકોએ ભ્રામક વાતોમાં તેમજ અફવાઓથી નહીં દોરવાઈને રસી મૂકાવવી જોઈએ, રસીની કોઈ આડઅસર થતી નથી, પરંતુ કોરોના સામે લડવા માટે વેક્સિનથી શરીરમાં બનતી એન્ટી બોડીથી કોરોનાને હરાવી શકાય છે, ત્યારે તમામ લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન લેવી જોઈએ તે માટે પણ તેઓએ અપીલ કરી હતી.

Advertisement

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે લૂંટ ધાડનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નડીઆદ ખાતે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!