Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામે આવેલ સુપ્રસિદ્ધ સુફી સંત હઝરત કાસમશા દાદાની દરગાહનો વાર્ષિક ઉર્સ તથા સંદલ બંધ રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દરગાહ શરીફે સંદલ તેમજ ઉર્સનો કાર્યક્રમ યોજાય છે.ચાલુ સાલે કોરોના મહામારી ચાલી રહી છે. દેશભરમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યુ છે, ત્યારે દરગાહ વહિવટી તંત્ર દ્વારા ચાલુ સાલે તા.૨૬ મે અને ૨૭ મે ના રોજ યોજાનાર સંદલ શરીફ તેમજ ઉર્સની ઉજવણી બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હઝરત કાસમશા દાદાની દરગાહે શ્રધ્ધાળુઓ આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ મેળવે છે. ચાલુ સાલે કોરોના મહામારી અંતર્ગત ઉર્સની ઉજવણી બંધ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ છે,અને ઉર્સના દિવસે પોતાના ઘરે ફાતેહા ખ્વાની કરીને દુઆઓ માંગવા અનુરોધ કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીનું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન…

ProudOfGujarat

વડોદરાનાં વડસરમાં થયેલી મહિલાની હત્યા સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!