Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ગણેશોત્સવનો અનેરો ઉત્સાહ, 20 જેટલા લોકોએ 45 દિવસ મહેનત કરી 1 લાખ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમા સજાવી

Share

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર પિરામિતા રોડ વિસ્તારના પ્રગતિ યુવક મંડળ દ્વારા આ વર્ષે એક લાખથી વધુ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટની મનમોહક પ્રતિમા બનાવવામાં આવી છે. આ અગરબત્તી ગાયના છાણમાંથી બનાવવામાં આવી હોવાની માહિતી છે. શ્રીજીની આ મૂર્તિએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

પ્રગતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવને લઈ કંઇક અલગ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મંડળના 20 જેટલા સભ્યોએ ભગવાન ગણેશજીની મૂર્તિ અનોખી રીતે ડેકોરેટ છે. આ મૂર્તિને ડેકોરેટ કરવા માટે ગાયના છાણમાંથી નિર્મિત અને ચોરસ આકારમાં બનાવેલી એક લાખથી વધુ અગરબત્તીઓ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની ઊંચાઈ 8 ફૂટ જેટલી છે. આ પ્રતિમાને બનાવવી માટે મંડળના સભ્યોએ છેલ્લા 45 દિવસથી રાત-દિવસ સખત મહેનત કરી છે. ભગવાન ગણપતિજીની પ્રતિમા પર ફેવિકોલથી અગરબત્તી ચોંટાડવામાં આવી છે.

મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે

Advertisement

ઉલ્લેખનીય છે કે, પ્રગતિ યુવક મંડળ દ્વારા વર્ષોથી અલગ અલગ થીમ પર ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ગત વર્ષની વાત કરીએ તો આ મંડળે મુંબઈના પ્રસિદ્ધ અને જાણીતા દગડુ શેઠ હલવાઈવાલા ગણેશજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી. જોકે, આ વર્ષે ડેકોરેશન કરેલ મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે.


Share

Related posts

ઝઘડીયા : વરસાદ ખેંચાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

ProudOfGujarat

ભરૂચના નેત્રંગ ખાતે લાલ મંટોડી શાળાના ધાબા પરથી પટકાતા એક આધેડનું મોત.

ProudOfGujarat

કોરોના વાયરસના ભયના પગલે અત્યાર સુધીમાં ભરૂચમાં 850 વિદેશીઓનું ચેકઅપ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!