Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના લહેરીપુરામાં ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ

Share

વડોદરાના લહેરીપુરા રોડ પર આવેલી ત્રણ માળની દુકાનમાં ગઈ રાતે લાગેલી ભીષણ આગ આજે સવારે કાબુમાં આવી હતી.

ન્યાય મંદિરથી બરાનપુરા તરફ જવાના લહેરીપુરા રોડ પર બેંક ઓફ બરોડાની પાસે મહેશ વિદ્યુત ઇન્ટિરિયલ ગેલેરી નામની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગનું રૌદ્ર સ્વરૂપ જોતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરી 15 ફાયર ફાઈટર કામે લગાવ્યા હતા.

Advertisement

લગભગ પાંચથી છ કલાકની જહેમત બાદ સવારે આગ કાબુમાં આવી હતી. આગમાં ઇલેક્ટ્રીક, સેનિટરી અને હાર્ડવેરનો સામાન ખાખ થઈ ગયો હતો. આગલું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે રાત્રિના કંપની પરથી ઘરે જતા યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં યુવાનના પગના ભાગે ફેક્ચર થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ProudOfGujarat

રાજસ્થાનના ઉદેપુર થી અપહરણ કરાયેલ ઈસમ ને સુરત ના પલસાણા નજીક થી પોલીસે છોડાવ્યો-૫ આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડયા..

ProudOfGujarat

નડિયાદ : કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ઈપ્કોવાળા હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!