Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

Share

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા હેતુ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રાર્થના સભામાં હાજર સૌ લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને અંજલી અર્પી હતી. દુઃખદ મૃત્યુ પામનાર લોકોના પરિવારજનને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે સાથે જ ઇજાગ્રસ્ત લોકો વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ધારાસભા ખંડમાં જિલ્લા કલેકટર અતુલ ગોર જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો ધારાસભા ખંડની બાજુમાં આવેલ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગની કચેરી ખાતે પણ મોરબી દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ હેતુ પ્રાર્થના સભા યોજાઈ હતી.

Advertisement

Share

Related posts

વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો : કોરોના મૃતકો મામલે ગૃહ ગાજયું જાણો વધુ

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.

ProudOfGujarat

નર્મદા કિનારે આવેલ માર્કંડઋષિના આશ્રમ સ્થળેથી શિવાનંદ સ્વામીએ માં અંબાની આરતીની રચના કરી હતી જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!