Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પથ્થરમારો, 13 ની અટકાયત.

Share

વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ.

સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ. બનાવની વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

Advertisement

Share

Related posts

શહેરા: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત નિવૃત શિક્ષક સુસાઇડ નોટ લખી ચાલ્યા જતા વ્યાજખોર સહિત આઠ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ સતત ચાલુ, પ્રોટેકશન વોલ કયારે બનાવવામાં આવશે તેની ચાલતી ચર્ચા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગના મૌઝા ગામ ખાતે ‘સિગ્નેચર અભિયાન’ માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!