Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગાઝિયાબાદ : અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી : કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત.

Share

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્વોએ એક કાપડના વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે વેપારીની પત્નીની હાલત ગંભીર છે. અસામાજિક તત્વોની હજી સુધી ઓળખ થઈ શકી નથી.

પોલીસ CCTV ફૂટેજની શોધખોળ કરી રહી છે. ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલી શેરીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો રિયાજ ઉર્ફે રિયાઝુદ્દીનના ઘર પર કરવામાં આવ્યો હતો. હજી સુધી પોલીસ તપાસમાં હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. આસપાસના લોકોમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

ઘટના સમયે લોકેશન પર જે લોકોના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ આ મામલે ખુલાસો કરવામાં આવશે. ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામ નગર વિસ્તારમાં 13 જૂનના રોજ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.
ઘરમાં જ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના પુત્રએ ઘરે લૂંટ થયાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં ખુલાસો થયો કે તેણે જ પોતાનાં માતા-પિતાની હત્યા કરી હતી. પોલીસે દંપતીના પુત્ર રવિની ધરપકડ કરી હતી.


Share

Related posts

વડોદરા : આવાસનો મામલો ગરમાયો, કલ્યાણ નગરની મહિલાઓનો પાણીની ટાંકી પર ચઢી અનોખો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટીટોડી ચાર ઈંડા મૂકતા આ વખતે વરસાદ જિલ્લામાં સારો પડે તેવી માન્યતા માનતા લોકો કહી રહ્યા છે.

ProudOfGujarat

વિદેશી દારૂ ભરૂચ જીલ્લામાં આવે છે જ ક્યાંથી : ભરૂચમાં લાખોની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો : નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો સહિત અન્ય બે આરોપી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!