Proud of Gujarat
FeaturedGujaratINDIA

બદ્રીનાથ ધામના કપાટ ખૂલતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

Share

ભૂ-વૈકુંઠ બદ્રીનાથ ધામની તીર્થયાત્રાની તૈયારી પૂરી થઈ ચૂકી છે. આજે સવારે 7:10 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલી દેવાયા હતા. કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અખંડ જ્યોતિના દર્શન કરવા માટે સેંકડો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. યાત્રાળુઓની ચહેલ-પહેલ પણ શરૂ થઈ ચૂકી છે.

આજે કપાટ ખુલતી વખતે ધામની મુલાકાતે આશરે 20 હજાર જેટલા તીર્થયાત્રીઓ આવ્યા હતા. આ દરમિયાન ટિહરીના રાજાના પ્રતિનિધિ તરીકે માધવ પ્રસાદ નોટિયાલ પણ ધામ આવી પહોંચ્યા હતા. બીજી બાજુ બદ્રીનાથની યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી હિમવર્ષા ચાલુ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. બદ્રીનાથની સાથે જ ધામમાં આવેલા પ્રાચીન મઠ અને મંદિરોને પણ ફૂલો વડે શણગારાયા હતા.

Advertisement

Share

Related posts

મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧૯ ફોર્મ ભરાયા

ProudOfGujarat

ઉપલેટા નેશનલ હાઇવે પાસે અજગર દેખાતા વનવિભાગને સોપાયો

ProudOfGujarat

મહેન્દ્રસિંગ ધોનીની એકેડમીમાં નવાગામના ક્રિકેટર ઉમેશ તડવિનું સિલેકશન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!