Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. ઉમરપાડા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી ગૌરાંગભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ અને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પ્રભારી તરીકે પીસી પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં વણકર વાડ પાસે આવેલ કચરા પેટી હટાવવા રહીશોની માંગ અતિશય દુર્ગંધ અને ગંદકીનાં કારણે આસપાસનાં રહીશોનાં માથે સ્વાસ્થ્યનું જોખમ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ૮૦૦૦ નવા મતદારો સહીત રાજ્યના અનેક મતદારોના નામો સામેલ ના થવાથી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ.

ProudOfGujarat

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાનની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!