Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ઉકાળાનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ડુંગરીપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચવડાં પાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી હેતલબેન જોશી અને આયુર્વેદિક દવાખાના ડોક્ટર નિલેશભાઈનાં નેતૃત્વમાં ઉપરોક્ત ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ભાજપનાં પ્રમુખ વાલજીભાઈ વસાવા ચવડા ગામના સરપંચ પ્રવીણ ભાઈ વસાવા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોની સાથે તેમણે પણ કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં જુની સાઈકલો-વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 16 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2217 થઈ.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!